UPના નવા મુખ્ય સચિવ તરીકે શશિ પ્રકાશ ગોયલની નિયુક્તિ!

By: Krunal Bhavsar
31 Jul, 2025

UP new Chief Secretary : ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહ નિવૃત્ત થતાં તેમના સ્થાને એસપી ગોયલની (SP Goyal)નિયુક્તિ કરવામાં આવી છે. યોગી સરકારે મનોજ સિંહના કાર્યકાળના વિસ્તરણ માટે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો હતો. પરંતુ કેન્દ્ર સરકારે મંજૂરી આપી ન હતી. એસપી ગોયલ પાસે ઔદ્યોગિક વિકાસ કમિશનર અને સીઈઓ યુપીઈઆઈડીએનો (UP new Chief Secretary)હવાલો પણ રહેશે. 1989 બેચના વરિષ્ઠ અધિકારી ગોયલ મુખ્યમંત્રી કાર્યાલયમાં એસીએસ હતા.

યોગી સરકારે કેન્દ્ર સરકારના નિમણૂક

3 જુલાઈના રોજ યુપીની યોગી સરકારે કેન્દ્ર સરકારના નિમણૂક અને કર્મચારી વિભાગને પત્ર લખીને મનોજ સિંહનો કાર્યકાળ વધારવાની વિનંતી કરી હતી. પરંતુ કેન્દ્રએ આ વિનંતીને ફગાવી હતી. મોદી સરકારના કેટલાક મંત્રીઓએ મનોજ સિંહના સેવા વિસ્તરણનો વિરોધ કર્યો હતો. બાદમાં એસપી ગોયલની આ પદ પર નિમણૂક કરવામાં આવી હતી.એસપી ગોયલને સીએમ યોગી આદિત્યનાથના સૌથી નજીકના અને વિશ્વાસુ અધિકારીઓમાંના એક માનવામાં આવે છે. તેમણે ઘણા મહત્વપૂર્ણ હોદ્દાઓ પર કામ કર્યું છે. તેમની પાસે લાંબો વહીવટી અનુભવ છે. આઈએએસ અધિકારી તરીકે એસપી ગોયલનું પહેલું પોસ્ટિંગ ઇટાવા જિલ્લામાં સહાયક મેજિસ્ટ્રેટ તરીકે હતું.તેઓ અલીગઢ,બહરાઇચ અને મેરઠ જિલ્લામાં મુખ્ય વિકાસ અધિકારી તરીકે પણ પોસ્ટ કરવામાં આવ્યા હતા. તેમણે મથુરા, ઇટાવા, પ્રયાગરાજ અને દેવરિયાના જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે પણ સેવા આપી છે.

 

 

મનોજ સિંહ સેવા નિવૃત્ત થયા

મનોજ કુમાર સિંહ 37 વર્ષની સેવા બાદ નિવૃત્ત થયા છે. તેમણે 30 જૂન 2024ના રોજ ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. ઉત્તર પ્રદેશ સરકારે લગભગ 15 દિવસ પહેલા કેન્દ્રને તેમના સેવા વિસ્તરણ માટે પત્ર મોકલ્યો હતો. પરંતુ કેન્દ્ર તરફથી કોઈ સકારાત્મક પ્રતિભાવ મળ્યો ન હતો. મનોજ કુમાર સિંહ 1988 બેચના IAS અધિકારી છે. ઘણા મહત્વપૂર્ણ પદો પર કામ કર્યા પછી તેઓ 31 જુલાઈના રોજ નિવૃત્ત થયા હતા.

 


Related Posts

Load more